ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમની અભિમુક્તા બેઠક યોજાઈ

‘હિંમત વિદ્યાનગર” Âસ્થત શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ, રાધનપુર સંચાલિત શ્રી ત્રિકમજીભાઈ ચતાવણી આર્ટસ એન્ડ જે.વી.ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજમાં ચાલતા ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમની અભિમુક્તા બેઠક ટ્રસ્ટના પ્રમુખ ડો. મહેશભાઈ મુલાણીના અધ્યક્ષ સ્થાને તા.૮-પ-ર૦૧૯ના રોજ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆતમા કોલેજના પ્રિÂન્સપાલ અને કેન્દ્રના સંયોજક ડલ. સી.એમ.ઠક્કરે મહેમાનોને આવકારી ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તેમજ શિક્ષણના  મહત્વ અંગે જ્ઞાન સભર વ્યાખ્યાન આપેલ. ડો. બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાંથી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાંથી નિગમભાઈ પંડ્યા તેમજ પ્રવેશ વિભાયમાંથી ખુશ્બુબેન મોદી ઉપÂસ્થત રહી યુનિવર્સિટીની તેમજ‘તેજતૃષા’ અંગેની માહિતી આપી હતી. આ અભિમુક્તા બેઠકમાં ટ્રસ્ટના મનેજીંગ ટ્રસ્ટી રાયચંદભાઈ ઠક્કર તેમજ કોષાધ્યક્ષ ધીરૂભાઈ પી. ઠક્કર ઉપÂસ્થત રહી પ્રાંસગિક ઉદ્‌બોધન આપ્યુ હતુ.સમગ્ર ્રકાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગાનથી જ્યારે આભારવિધિ પ્રા.કે.સી. ઠક્કરે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બી.એડ્‌.ના વિદ્યાર્થી ચૌધરી જેવતાભાઈએ કર્યું હતું. આ બેઠકમાં સ્નાતક , અનુસ્નાતક,ડિગ્રી, ડિપ્લોમા અને વિવિધ સર્ટીફિકેટ કોર્ષના વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણ કરવામાં આવ્યું હતું.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.