ઇન્ટર મિનિસ્ટ્રિયલ સેન્ટ્રલ ટીમ નવી દિલ્હીના વરિષ્ઠ અધિકારીઓ બનાસકાંઠા જિલ્લાના અછતગ્રસ્ત વિસ્તારોની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. તા. ૧૫ ના રોજ જિલ્લાના પશ્વિમ વિસ્તારમાં થરાદ તાલુકાના પીલુડા ઘાસ ડેપો અને ભાપી ગામની મુલાકાત,વાવ તાલુકાના ચોથારનેસડા, કુંડાળીયા અને સૂઇગામ તાલુકાના ગામ લોકોને મળી તેમને સાંભળ્યાં હતાં. ત્યારબાદ આજે તા.૧૬ ડિસેમ્બરના રોજ વહેલી સવારે ટીમના સભ્ય અને નીતિ આયોગના ડાયરેકટર સુખગીત કૌરે ભાભર જલારામ ગૌશાળાની મુલાકાત લઇ ગૌશાળા દ્વારા કરવામાં આવતી ગાયોની માવજત અને સારવાર અંગે માહિતી મેળવી હતી. જલારામ ગૌશાળા દ્વારા કરવામાં આવતી બિમાર ગાયોની સારવારથી તેઓ ખુબ જ પ્રભાવિત થતાં તેમણે જણાવ્યું કે તમે ખુબ સરસ કામ કરો છો. તેમણે ગાયો માટેના વિવિધ સારવાર વિભાગની પ્રત્યક્ષ મુલાકાત લઇ ભાભર જલારામ ગૌશાળા દ્વારા ગાયોની સેવાના કાર્યોને તેમણે બિરાદાવ્યાં હતાં. આ પ્રસંગે ભાભર ગૌશાળાના સંચાલકોએ ગાયોને પુરતા પ્રમાણમાં ઘાસચારો મળે તે માટે રજુઆત કરી હતી.
આ પ્રસંગે સૂઇગામ પ્રાંત અધિકારી આર.બી.અસારી, ખેતીવાડી અધિકારી પી. કે.પટેલ, નાયબ પશુપાલન નિયામક એસ.બી.ઉપાધ્યાય સહિત અધિકારીઓ ઉપસ્થિ ત રહ્યા હતા.