મહેસાણા : એશિયામાં સૌથી મોટું માર્કેટયાર્ડ ગણાતા ઊંઝા માર્કેડ યાર્ડના વેપારીઓ ટીડીએસના નવા નિયમોને લઇને મુંઝવણમાં છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ૧ કરોડ રૂપિયાના રોકડ ઉપાડ ઉપર ૨ ટકા ટીડીએસ લગાવવામાં આવતા કાયદાની મોહિતી નહીં આપે તો આગામી ૧ સપ્ટેમ્બરથી રોજગારથી અળગા રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા ૧ કરોડ રૂપિયા રોકડ ઉપાડ પર ૨ ટકા ટીડીએસની જાગવાઈ કરી છે. આ કાયદાની હજી સુધી કોઈ માહિતી વેપારીઓને નહી આપતા વેપારીઓ મુંઝવણમાં મુકાયા છે. સરકાર દ્વારા વેપારીઓને જ્યાં સુધી આ કાયદાની યોગ્ય માહિતી નહિ પહોંચાડે ત્યાં સુધી વેપારીઓ ૧ સપ્ટેમબરથી પોતાના ધંધા રોજગારની અળગા રહેશે. જ્યા સુધી તેમને આ કાયદાની સંપૂર્ણ માહિતી ન આપવામાં આવે ત્યાં સુધી તેવો નિર્ણય ઊંઝા માર્કેટયાર્ડ વેપારી એસોસિયેશનની જનરલ સભામાં લેવામાં આવ્યો હતો. આ મામલે ઊંઝા એપીએમસીના વાઇસ ચેરમેન શિવમભાઈ રાવલનું કહેવું છે કે આ મામલે વેપારીઓ નિષ્ણાતોની સલાહ લઈને આગળ વધવું જાઈએ. તેઓ અમારી માંગણી અને લાગણીને સમજીને આપું પગલું નહી ભરે તેવી વાત મૂકી હતી. હાલ તો સરકાર દ્વારા જા વેપારીઓને આગામી દિવસો આની યોગ્ય માહિતી નહી આપવામાં આવે તો આ વેપારીઓ ૧ સપ્ટેમબરથી પોતાના ધંધા વેપારથી અળગા રહેશે અને પોતાનો વિરોધ નોંધાવશે.