પાલનપુરમાં બે સંતાનોના પિતાએ ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી

આંબેથાના એસ.એસ.સી.ના પરિક્ષાર્થી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો
 
પાલનપુરના અમીરરોડ વિસ્તારમાં રહેતા બે સંતાનોના પિતાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી લેતા ચકચાર મચી ગઈ હતી. જયારે બીજી ઘટનામાં પાલનપુરના આંબેથા ગામના એસ.એસ.સી.ના પરિક્ષાર્થી યુવકે કપૂરની ગોળીઓ ખાઈ લેતા સારવાર અર્થે ખસેડાયો હતો.
પાલનપુરમાં ચકચારી બનેલી ઘટનાની વિગતો અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરના અમીરરોડ વિસ્તારમાં રહેતા બે સંતાનોના પિતા દિપક પ્રતાપજી ઠાકોરે મંગળવારે કોઈ અગમ્ય કારણોસર તેમના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગેની જાણ થતાં પરિવારજનો તેમજ આજુબાજુના લોકો એકત્ર થઈ ગયા હતા. જ્યાં દોડી આવેલી પોલીસે મુર્તદેહ સિવિલમાં ખસેડી પીએમ કરાવ્યું હતું. અને પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. 
જ્યારે બીજી ઘટનામાં ધોરણ દસ ના પરિણામને લઈને ચિંતિત પાલનપુરના આંબેથા ગામના 16 વર્ષીય ફરીદ ખાન અહેમદખાન સિંધીએ કપૂરની ગોળીઓ ખાઈ લેતા સારવાર અર્થે ખસેડાયો હતો. જેની તબિયત સુધારા પર હોવાનું સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.