ગુજરાત લોકસભાની 26 બેઠકો અને વિધાનસભાની પેટા ચૂંટણીની 4 બેઠકો પર મતદાન પૂર્ણ થયા બાદ ગઈકાલે રાત્રે મુખ્યમંત્રી રૂપાણી પત્ની અંજલી સાથે યાત્રાધામ અંબાજી પહોંચ્યા હતા. અને આજ વહેલી સવારે તેમને મા અંબાના દર્શન કર્યા હતા. રૂપાણીએ અંબાજી મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરી હતી. ઉલ્લેખનીય છે કે રૂપાણી તેમની પત્ની સાથે અનેકવાર માં અંબાના શરણે આવતા હોય છે. સીએમ રૂપાણી ચૂંટણી પ્રચાર દરમિયાન પણ મા અંબાના દર્શન કર્યા હતા.