થરાદ પાસે નર્મદા કેનાલમાંથી તહેવારોના સમયે જ યુવક અને યુવતીની લાશો મળી આવતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. જાણવા મળ્યા મુજબ નાગલા ગામ પાસેની નહેરમાંથી યુવકની અને મહાજનપુરા પાસેથી યુવતીની લાશ મળી આવી હતી. સ્થાનિક તરવૈયાઓએ બન્ને લાશોને બહાર કાઢી હતી.આ બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. જોકે,બન્ને યુવક-યુવતીના નામ જાણવા મળ્યા નથી. આ ઘટનાથી સમગ્ર પંથકમાં તર્કવિતર્ક વહેતા થયા છે.