ગુજરાતના નવા રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રત નિમાયા

ગુજરાતના રાજ્યપાલ પદે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાતના નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મૂળ હરિયાણાના પાણીપત જિલ્લાના વતની છે. આચાર્ય દેવવ્રત સ્વામી દયાનંદ સરસ્વતીના સિદ્ધાંતોને અનુસરવાથી લઈ યોગ અને ઝીરો બજેટ કૃષિમાં અતૂટ અવિશ્વાસ ધરાવે છે. તેઓ લભગ 35 વર્ષ સુધી આર્યસમાજ અને અધ્યાપન કાર્ય સાથે જોડાયેલા રહ્યા હતા.
 
ગુજરાતના રાજ્યપાલ પદે નિયુક્તિ થતા મુખ્યમંત્રી રૂપાણીએ આચાર્ય દેવવ્રત સાથે ટેલિફોનિક વાતચીત કરી ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્તિ થવા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.
 
આચાર્ય દેવવ્રતનો જન્મ 18 જાન્યુઆરી 1959ના રોજ લહેરીસિંહના ઘરે હરિયાણામાં થયો હતો. તેમણે હિન્દી અને ઈતિહાસમાં માસ્ટર અને બી.એડની ડિગ્રીઓ મેળવેલી છે. માત્ર એટલું જ નહીં, તેઓએ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર નેચરોપેથી(દિલ્હી)માંથી નેચરોપેથી અને યોગિક સાયન્સમાં ડિપ્લોમા કર્યું છે. તેઓ અધ્યાપન અને વહીવટી તંત્રનો 34 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.