ચીમનગઢ પાટિયા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત : એકનું મોત

શિહોરી : શિહોરી દિયોદર હાઇવે રોડ ઉપર ચીમનગઢ પાટિયા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું. ગત રાત્રે શિહોરી દિયોદર હાઇવે પર ચીમનગઢના પાટિયા પાસે બે બાઈક સામ સામે અથડાતા વાઘેલા કિરુભા ભારતસિંહ રહે.વડા આશરે ઉંમર ૩૦ વર્ષનું ઘટના સ્થળે મોત થયું હતું.જ્યારે અન્ય  ત્રણ લોકો ઘાયલ થયા હતા.તેઓ સરસ્વતી તાલુકાના વાયડ ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે .આ લોકો દિયોદરના સાણાદર  આંબાજી માતાના દર્શનાર્થે જતાં હતા ત્યારે આકસ્માત નડ્‌યો હતો.અકસ્માતની જાણ થતાં શિહોરી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.