રાજયમાં જ્યાં જયાં રોડ બનતા હોય અને જ્યાં પાણીનો વધુ પ્રવાહ થતો હોય તેના માટે ગરનાળું તેમજ સંરક્ષણ દિવાલ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયા ફાળવાતા હોય છે પરંતુ જિલ્લાના તેમજ તાલુકાના પદાધિકારીઓ, કોન્ટ્રાકટરો સાથે સાંઠગાંઠ રચીને પેટા કોન્ટ્રાકટરો રાખીને કામ કરાવતા હોય છે. જ્યારે મુખ્ય કોન્ટ્રાકટર જે સ્થળે કામ ચાલતું હોય ત્યાં હાજર રહેતો નથી એ અન્ય કોન્ટ્રાકટર રાખીને કામ કરાવતા હોય છે.ત્યારે દિયોદર તાલુકાના નેસડી કોતરવાડાથી વાવ રોડ ઉપર ગરનાળું તેમજ સંરક્ષણ દિવાલનું કામ થઈ રહ્યું છે. કામમાં ગેરરીતિ જણાઈ રહી છે. એટલું જ નહીં ડાયવર્ઝન પણ મુકવામાં આવ્યું નથી અને રોડની નીચેની સાઈડમાં વાહન ચાલકોને તેમજ રાહદારીઓને ચાલવાની વ્યવસ્થા કરેલ નથી અને ધુળમાં રાહદારીઓને ચાલવું પડે છે. એટલું જ નહીં, પણ મુશ્કેલ પડી રહ્યું છે ત્યારે સત્તાધારીઓ જાતે આવી આ કામનું નિરીક્ષણ કરે અને સાઈડમાં ચાલવાની વ્યવસ્થા કરાવે તેવી ગ્રામજનોની
માંગ છે.