માઈનોર-2 કેનાલના કામમાં ભ્રષ્ટાચાર અને કામ ગોકળગતિએ થતાં રોષ

 સમી તાલુકાની ગાજદીનપુરા માઇનોર 2 કેનાલમાં અંડર ગ્રાઉન્ડ કામમાં તૂટેલી પાઈપો નાખવામાં આવતી હોવાનુ ચર્ચામાં આવ્યું છે ઉપરાંત કેનાલની ગોકળ ગતિએ ચાલતી કામગીરીને કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

 
સમી તાલુકાની ગાજદીનપુરા 2 માઇનોર કેનાલ ગત વર્ષે પૂરના કારણે સંપૂર્ણ ધોવાઈ જતાં કેનાલને અન્ડરગ્રાઉન્ડ કરવાનું નક્કી કરાયું હતું. છેલ્લા એક વર્ષથી આ કેનાલનું કામ ચાલુ ન કરાતા આ વિસ્તારના ખેડૂતોએ આંદોલનની ચીમકી આપી હતી જેથી તંત્ર દ્વારા કામકાજ ચાલુ કરી દેવાયું છે પરંતુ ધીમી ગતિએ થઈ રહ્યું છે. ઉપરાંત કેનાલના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની રાવ ઉઠી છે. કેનાલના અંડરગ્રાઉન્ડ કામમાં તૂટેલી પાઈપો નાખતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. જેથી ખેડૂતોને જીરાના પાક માટે પાણીની ખૂબ જ જરૂરિયાત છે ખેડૂતોનું ગત વર્ષ નિષ્ફળ નીવડ્યું હતું અને આ વર્ષે પણ કેનાલના કામ ધીમી ગતિએ થતા ખેડૂતો રવી સીઝન લઇ શકે તેમ નથી 
 
સમશેરપુરા ગામના ખેડૂતોના જણાવ્યું કે કેનાલનું કામ કરતા જેસીબી અને હિટાચીના ડ્રાઇવરો કોન્ટ્રાક્ટર ન આવતા હોવાથી કામ બંધ છે તેવું જણાવે છે જ્યારે કોન્ટ્રાક્ટરને પૂછતા આ લોકો ડીઝલનો બારોબાર વહીવટ કર્યાનું સમશેરપુરાના ખેડૂતોને જણાવ્યું હતું. આગામી દિવસોમાં કેનાલના કામમાં ઝડપ નહીં આવે તો નર્મદા વિભાગ સામે ધરણા કરી કરીશું તેમ ખેડૂતોએ જણાવ્યું હતું. 
 
નર્મદા અધિકારી એસ.બી નાયકને પૂછતા કોન્ટ્રાક્ટ દ્વારા ઢીલી કામગીરી થતી હોવાનું જણાવી જવાબદારીમાંથી હાથ અધ્ધર કર્યા હતા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.