રાજસ્થાનના બાડમેરમાં રામ કથા દરમિયાન વાવાઝોડુંથી ટેન્ટ ધરાસાઈ : 14ના મોત, 24 ઘાયલ

બાડમેરઃ રાજસ્થાનના બાડમેરમાં રવિવારે સાંજે રામકથા દરમિયાન આંધી-વરસાદથી મંડપ ધરાશાયી થયો હતો. દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા છે, જ્યારે 24થી વધુ લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના બાલોતરાના જસોલ વિસ્તારમાં ઘટી છે.
 
ડીએમ હિમાંશુ ગુપ્તાએ જણાવ્યું કે, દુર્ઘટનામાં 14 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. મંડપમાં મોટાભાગે વૃદ્ધ મહિલા અને પુરુષો રામકથા સાંભળી રહ્યા હતા. 24 લોકો ઘાયલ થયા છે. એવામાં મૃતકોની સંખ્યા વધવાની પણ આશંકાઓ વર્તાઈ રહી છે.
 
દુર્ઘટના બાદ અહીં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ ઘાયલોને ખાનગી વાહનોથી હોસ્પિટલ પહોંચાડ્યા હતા. તંત્રએ પણ તમામ ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફને તાત્કાલિક હોસ્પિટલ પહોંચવાના આદેશ આપ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.