અંબાજી : અંબાજીને યાત્રાધામની સાથે પ્રવાસન ધામ તરીકે વિકસાવાનો પ્રયાસ રાજ્ય સરકાર કરી રહી છે.અંબાજી આવતા યાત્રિકોને વધુમાં વધુ સ્વછતાની સાથે પૂરતી સુવિધા મળી રહે તેવા પ્રયાસો વહીવટી તંત્ર પણ કરી રહ્યું છે.યાત્રાધામ અંબાજી એ ગુજરાતનું જ નહીં પણ દેશનું સુવિખ્યાત તીર્થ સ્થળ છે.જ્યાં દિન પ્રતિદિન હજ્જારોની સંખ્યામાં યાત્રિકોનો ઘસારો રહેતો હોય છે.ખાસ કરીને અંબાજી મંદિરે જવા માટે બસ સ્ટેન્ડથી મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર સુધી પહોંચવા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે દર્શનપથ બનાવામાં આવ્યો છે સાથે દર્શનપથની પાસે યાત્રીકોને રોકાણ