ગત મંગળવારે પાલનપુરમાં ભગવાન વિષ્ણુના અવતાર એવા ચિરંજીવી દેવ ભગવાન પરશુરામની જન્મ જયંતિની ધાર્મિક હર્ષાઉલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરાઇ હતી

આ પ્રસંગે પતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે પરશુરામ પરિવાર દ્વારા યોજાયેલ યજ્ઞની પૂર્ણાહુતિ બાદ યુવા બ્રહ્મસેના દ્વારા વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી. વિવિધ વેશભૂષા અને સાંસ્કૃતિક ઝાંખીઓ તેમજ સાથે ડીજેના તાલે નીકળેલી આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી. વિવિધ સંસ્થાઓ અને નગરજનો દ્વારા ઠેર ઠેર આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. હનુમાન ટેકરી ખાતે જય પરશુરામના જયઘોષ સાથે આ શોભાયાત્રાનું સમાપન કરાયું હતું.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.