આ પ્રસંગે પતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે પરશુરામ પરિવાર દ્વારા યોજાયેલ યજ્ઞની પૂર્ણાહુતિ બાદ યુવા બ્રહ્મસેના દ્વારા વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી. વિવિધ વેશભૂષા અને સાંસ્કૃતિક ઝાંખીઓ તેમજ સાથે ડીજેના તાલે નીકળેલી આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી. વિવિધ સંસ્થાઓ અને નગરજનો દ્વારા ઠેર ઠેર આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. હનુમાન ટેકરી ખાતે જય પરશુરામના જયઘોષ સાથે આ શોભાયાત્રાનું સમાપન કરાયું હતું.