વાવ તાલુકાના સરહદી સીમાડે આવેલા મીઠાવીચારણ ગામે ચાલી રહેલા મનરેગાના આડબંધના કામો હેઠળ મીઠાવીચારણના અંદાજે ૩પ૦ થી વધુ શ્રમિકો રોજીરોટી મેળવી રહ્યા હતા. આ બાબતે મીડીયાતંત્રે મીઠાવીચારણ ગામની રૂબરૂ મુલાકાત લેતા મીઠાવીચારણ ગામના સરપંચ પતિ પી.ડી.ગઢવીએ મીડીયા સમક્ષ જણાવ્યું હતું કે, મીઠાવીચારણ ગામે તત્કાલીન ટેકનીકલ (એ.ડબ્લ્યુ.એમ.) નરેન્દ્રદાન ગઢવી અને સરપંચ તેમજ મેટની રાહબરી હેઠળ આડબંધના કામોચાલી રહ્યા હતા. સરકારના ધારા - ધોરણ મુજબ રોજીંદા ૩પ૦ થી વધુ શ્રમિકોને પેમેન્ટનું ચુકવણુ થયુ છે. અંદાજે ૩પ૦ થી વધુ શ્રમિકોને મનરેગા યોજના હેઠળ રોજીરોટી મળી રહી હતી અને ટેકનીકલ નરેન્દ્રદાન ગઢવી સરપંચ નીલાબા ગઢવી, મેર પી.ડી.ગઢવીની કામગીરી પ્રશંસાને પાત્ર બની રહી હતી. આ વર્ષે વાવ તાલુકો દુષ્કાળના ખાપરમાં હોમાઈ ચુકયો છે. ત્યારે રાજ્યસરકાર ફરી પાછા મીઠાવી ચારણ ગામે આડબંધના કામો શરૂ કરવામાં આવે તેવી પ્રબળ માંગ છે. અગાઉ થયેલા મનરેગાના કામોમાં રાજ્ય સરકારના નિમયાનુસાર ચુકવણુ કરાયુ છે અને દરેક શ્રમિકોના પોસ્ટ ખાતામાં મહેનતાણું જમા થયુ છે. સત્વરે ફરી પાછુ મીઠાવી ચારણ ગામે મનરેગાના કામો શરૂ કરવામાં આવે તેવી શ્રમિકોની પ્રબળ માંગ છે.