કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી યોજાનાઓ ફક્ત કાગળ પર જ જાહેર થાય છે તેવો અનુભવ પ્રજાને થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લા જનરલ પોસ્ટ માસ્તરના તાબામાં આવેલ કાંકરેજ તાલુકાના થરા પોસ્ટ ઓફીસનો વહીવટ છેલ્લા કેટલાક સમયથી કથળી રહ્યો છે. એક વર્ષથી પોસ્ટ માસ્તરની જગ્યા ખાલી હોવાથી અને સર્વર ડાઉન રહેતાં લોકોના કોઈ કામ થતાં નથી. અહીં એકાદ બે ફરજ પરના કર્મચારી બાબા આદમ વખતનું ખખડી ગયેલ મકાન કોઈની લાગવગથી રીપેરીગ વગરના ધાબાના મોટા સીમેન્ટના ખપરાં ગમે ત્યારે પડે તેમ છે. ચોમાસામાં ધાબાનું બધું પાણી ઓફીસની અંદર પડે તેવા મકાનમાં મોતના ઓથાર હેઠળ ફરજ બજાવતાં જાવા મળે છે.