રાધનપુર પાલિકા છોટા હાથીથી કચરો ઉઘરાવશે
રાધનપુર નગરપાલિકાને ગુજરાત સરકાર દ્વારા ડોર-ટુ-ડોર કચરો ઉઘરાવવા માટે ચાર છોટા હાથી ફાળવવામાં આવ્યા છે.શહેરમાં સ્વચ્છતાને વેગ મળે તે માટે સ્વચ્છતા અભિયાન અંતર્ગત આ છોટા હાથી ફાળવવામાં આવ્યા છે. નગરપા લિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રશાંત સોનીના જણાવ્યા મુજબ સોમવારથી આ ચાર છોટા હાથીને ડોર-ટુ-ડોર કચરો ઉઘરાવવા માટે લગાવવામાં આવશે, જેમાં એક વોરવાડ-ધનકવાડ વિસ્તારમાં, બીજું મસાલી રોડ ઉપર, ત્રીજું મંડાઈ ચોકથી હાઇવે ચાર રસ્તા સુધીની દુકાનો માટે અને ચોથું હાઇવે વિસ્તારની દુકાનોમાંથી કચરો ઉઘરાવવા માટે ગોઠવવામાં આવશે. આ ચાર છોટા હાથી ફાળવાતા સ્વચ્છતા અભિયાનને વેગ મળશે.