પાલનપુરની શુકન સોસાયટીમાં તસ્કરોએ બે મકાનમાં ખાતર પાડ્યું, રૂપિયા ૪.૫૦ની ચોરી

પાલનપુર હાઇવે સ્થિત શુકન સોસાયટીમાં શનિવારે રાત્રે તસ્કરોએ બે મકાનોમાં ખાતર પાડ્‌યું હતું. જ્યાંથી રોકડ રૂપિયા તેમજ સોના- ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા ૪.૫૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ગયા હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું.
પાલનપુરમાં પોલીસે એટીએમ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. ત્યાં ધરફોડ ચોરી કરતા તસ્કરોએ પુનઃ પડકાર ફેંક્યો છે. પાલનપુર ખાતે હાઇવે સ્થિત શુકન સોસાયટીમાં શનિવારે રાત્રે તસ્કરોએ બે મકાનોમાં ખાતર પાડ્‌યું હતું. જ્યાંથી રોકડ રૂપિયા તેમજ સોના- ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા ૪.૫૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ગયા હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું. જોકે, આ અંગે પશ્ચિમ પોલીસ મથકના ઓફિસરે હાલમાં તપાસ ચાલુ હોવાનું જણાવી વિગતો આપવાનો ઇન્કાર કર્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.