છાપી : સરહદી બનાસકાંઠામાં ભારે વરસાદને લઈ રોગચાળો માથું ઊંચકી રહ્યો છે. જેથી જીવલેણ ડેન્ગ્યુ માથું ઉચકતા આ મહારોગને લઈ અનેક લોકો ભોગ બની રહયા છે. ત્યારે પાલનપુર તાલુકાના કાણોદર ગામમાં વધુ એક નવ વર્ષીય બાળકીનું મોત થતાં ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. જ્યારે કાણોદરમાં દશ દિવસમાં બે બાળકીઓ મોતને ભેટતા આરોગ્ય તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે. પ્રાપ્ત વિગતો મુજબ પાલનપુર તાલુકા ના કાણોદર ગામે રહેતા સુનિલકુમાર વાઘેલા (દરજી) કે જેવો આરોગ્ય વિભાગ માં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવે છે જેઓની નવ વર્ષીય દીકરી સાક્ષી ધોરણ ૩ માં કાણોદર પ્રાથમિક શાળા માં અભ્યાસ કરે છે તેને અઠવાડિયા પૂર્વે તાવ ની અસર થતા તાત્કાલિક સ્થાનિક સરકારી દવાખાને સારવાર માટે લઈ ગયા હતા જ્યાં તબિયત વધુ લથડતાં પાલનપુર ની ખાનગી હોસ્પિટલ માં સારવાર અપાવી હતી પરંતુ કાઉન્ટ વધુ ઘટતા અને ફરક ન પડતા મહેસાણા આઈ. સી યુ. માં દાખલ કરવા માં આવી હતી મહેસાણા પાંચ દિવસ સારવાર અપાવી હતી જોકે ગુરૂવાર રાત્રે વાયરલ ફીવર ( શંકાસ્પદ ડેન્ગ્યુ) ના કારણે સાક્ષી નું અકાળે મોત નિપજતા પરિવાર સહિત ગામ માં હાહાકાર મચવા સાથે ઘેરો શોક છવાયો હતો જોકે કાણોદર માં વાયરલ ફીવર તેમજ ડેન્ગ્યુ ના મહારોગ ના કારણે દશ દિવસ માં બે માસૂમ બાળકીઓ ના મોત નિપજતા આરોગ્ય તંત્ર ની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા હોવા નું જાણવા મળે છે