છાપી : વડગામ તાલુકાના માહી પંચાયતમાં ગત તારીખ ૧૬/૧૦/૨૦૧૭ ના રોજ સરપંચે પોતાના નામે રૂ.૨૦ હજાર રોકડા વાઉચર થી ઉપાડી કથિત ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ ગામના એક યુવકે કરતા જેની ન્યાયિક તપાસ ન થતા યુવકે જિલ્લા કલેકટરને આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો છે.
વડગામના માહી ગામના અરજદાર ભરતભાઇ હરિભાઈ ચૌધરીએ તારીખ ૨૪/૭/૨૦૧૯ ના રોજ કલેકટર ને એક લેખિતમાં જણાવ્યું હતું કે માહી પંચાયતમાં ગત તારીખ ૧૬/૧૦/ ૨૦૧૭ના રોજ મજૂરોના નામે પંચાયતમાંથી રોકડા રૂપિયા ૨૦ હજાર ઉપાડી ગેરરીતી આચરી હોવાનો આક્ષેપ કરી જેની તપાસ કરવા તાલુકા વિકાસ અધિકારી વડગામ તેમજ મામલતદાર વડગામ સહિત કલેકટરને જાણ કરી હતી.જેની ન્યાયિક તપાસ દોડ વર્ષ થવા છતાં ન થતા અરજદારે જિલ્લા કલેકટરને દિન પંદરમાં તપાસ નહિ થાયતો કલેકટર ઓફીસના પ્રાંગણ આત્મવિલોપન કરવાની ધમકી આપી હતી.પંચાયતની કથિત ગેરરીતીને લઈ છેલ્લા દોઢ વર્ષથી અરજદાર વિવિધ કચેરીઓમાં રજૂઆતો કરવા છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી કથિત ભ્રષ્ટ સરપંચને છાવરતા હોવાનો આક્ષેપ અરજદારે કર્યો હતો.