બનાસકાંઠાના થરાદથી વાવ થઈ ભાચલી જતી બસનો કંડકટર નશાની હાલતમાં ઝડપાતા ખળભળાટ મચી ગયો છે.આ બસનો કંડક્ટરે નશાની હાલતમાં મુસાફરો પાસેથી પૈસા લઈ ટીકીટ ના આપતા મુસાફરોએ બસ હોબાળો મચાવ્યો હતો.જેથી આ બસને વાવથી થરાદ પરત લાવી ભાચલી ગામનો રૂટ રદ કરવાની ફરજ પડી હતી. જેથી ભાચલી તરફ જતા મુસાફરો રઝળી પડ્યા હતા. આ અને આવા બીજા કંડકટરો સામે તંત્ર લાલ આંખ કરે તેવી માંગ ઊઠી છે.