થરાદમાં પતિ-પત્નીને વીજ કરંટ લાગતા પતિનું મોત, પત્ની ગંભીર

થરાદ તાલુકાના મોરથલ ગામે પતિ-પત્નીને વીજકરંટ લગતા પતિનું મોત નીપજ્યું છે જયારે પત્નીને ગંભીર હાલતમાં સારવાર અર્થે ધાનેરાની ખાનગી હોએપિટાલમાં ખસેડવામાં આવી છે.
 
થરાદ તાલુકાના મોરથલ ગામે રહેતા હજુરભાઈ સકરાભાઈ ઠાકોર અને તેમની પત્ની પારુબેન હજુરભાઈ ઠાકોર બંને પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા તે સમયે હજુરભાઈને અચાનક વીજકરંટ લાગતાં પારુબેન તેમને છોડવવા દોડ્યા હતા પરંતુ તેમને પણ વીજકરંટ લગતા બંને ગંભીર રીતે દાઝ્યા હતા પરંતુ હજુરભાઈનું  ઉપર જ મોટ નિપજતા અરેરાટી મચી જવા પામી હતી અને ગંભીર રીતે ઘાયલ થયેલા પારુબેનને સારવાર અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને મૃતક હજુરભાઈની લાશને પીએમ અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી તો બીજી તરફ મૃતકના પરિવાર જનોએ વીજ કંપની ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમારા ખેતર 7 ફૂટ જેટલી નીચે વીજ લાઈન પસાર થઇ રહી છે અને અમારા ધ્વરા અનેક વાર મૌખિક રજૂઆત કરવા છતાં પણ આ લાઈન ઊંચી ન કરતા આજે અમારે મોટું નુકશાન વેંટીહવાનો આવ્યો છે ત્યારે જો આ વાત સત્ય હોય તો વીજ કંપનીની ગંભીર બેદરકારી કહેવાય તો બીજી તરફ ગામલોકો પણ જણાવી રહ્યા છે કે વીજ કંપની મૃતક અને ઘાયલને સહાય કરે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.