ડીસા : ડીસા ખાતે નવિન ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ બ્રિજની કામગીરીમાં ડીજાઈનમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાના સમાચાર મળતા કેટલાક જાગૃત વેપારીઓ બુધવારે પાલનપુર દોડી આવ્યા હતા. અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.
ડીસામાં ટ્રાફીકાની સમસ્યા પેચીદી બનેલી હોવાથી રાજકીય રજુઆતના અંતે સરકાર દ્વારા ટ્રાફીકની સમસ્ય હલ થાય તે માટે ડીસામાં ઓવરબ્રિજ મંજુર કરવામાં આવ્યો છે. જેની કામગીરી પણ ચાલી રહી છે. પરંતુ આ ઓવરબ્રિજની ડીઝાઈનમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાના સમાચાર વહેતા થતાં બુધવારે ડીસાના કેટલાક વેપારીઓ પાલનપુર કલેકટર કચેરી ખાતે દોડી આવ્યા હતા. અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પુલની ડીજાઇન ન બદલવા માટે રજુઆત કરવામાં આવી હતી. જેના પગલે જિલ્લા કલેકટર દ્વારા પુલની ડીજાઈન બદલવામાં નહી આવે તેવી ખાત્રી આપવામાં આવતા લોકોએ રાહતનો દમ લીધો હતો.