હાલમાં ગુજરાત સરકારે રાજ્યના તબક્કાવારમાં રાહતનાં કામો માટે રૂપિયા છ હજારને ચારસો કરોડની માતબર રકમ ફાળવી છે. આ કામો આજે પહેલી ડિસેમ્બરથી શરૂ થવાની છે, જેમાં ખેડુતોને પાણી વગર બળેલા પાકનું વળતર, પશુઓને ઘાસચારો, પાણીની વ્યવસ્થા, ખેતીમાં બે કલાક કલાક પાવરનો વધારો, દોઢસો દિવસની માનવ રોજગારી આપવી, વગેરેની જાહેરાત થઈ છે. સરકારનું આ પગલું ખૂબ જ સરાહનીય છે, પણ ચિંતાનો વિષય એ છે કે, સરકારે આ ફાળવેલ રકમ ખરેખર યોગ્ય રીતે વપરાશે કે, પછી દર વખતની જેમ વેડફાઈ જશે? આ એક યક્ષ પ્રશ્ન છે. કારણ કે આ પ્રકારની કોઈપણ નાની- મોટી યોજના જાહેર થાય કે તરત જ ભ્રષ્ટાચારીઓ મેદાનમાં આવી જાય છે અને આવતી ગ્રાન્ટોને ‘કેચ’ કરવા કમર કસીને તૈયાર થઈ જાય છે. તો આ યોજનામાં વપરાતા રૂપિયાની સરકારે પારદર્શિતા ગોઠવવી જાઈએ અને બાજ નજર રાખવી જાઈએ. નહીં તો સાચા અસરગ્રસ્તોને અનુસંધાન પાના નં.૬