આ વર્ષે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદ પડતાં ખેડૂતોની હાલત કફોડી બની છે અને રાજય સરકારે બનાસકાંઠાના ૯ તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કર્યા છે પરંતુ દાંતીવાડા તાલુકાને અસરગ્રસ્ત જાહેર ન કરાતાં દાંતીવાડાના ખેડૂતોએ ધાનેરાના ધારાસભ્ય નાથા ભાઇ પટેલની આગેવાનીમાં દાંતીવાડાના મામલતદારને આવેદનપત્ર આપી દાંતીવાડા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી હતી અને જો સરકાર તેમની માંગ ના સંતોષે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
બનાસકાંઠામાં આ વર્ષે વરસાદના અભાવે ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ હોઈ સરકાર દ્વારા બનાસકાંઠાના ૯ તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કરાયા છે
પરંતુ દાંતીવાડા તાલુકાને અસરગ્રસ્ત જાહેર ન કરાતા પાણી વગર ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો હોવાથી ખેડૂતો રોષે ભરાયા છે. આજે ધાનેરાના ધારાસભ્ય નાથાભાઇ પટેલે કોંગ્રેસી આગેવાનો અને ખેડૂતો સાથે દાંતીવાડાના મામલતદારને આવેદનપત્ર આપી દાંતીવાડા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી હતી અને જો સરકાર દાંતીવાડા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરી સહાય ના આપે તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી આપી હતી.