કાંકરેજ
ગુજરાતમાં કોરોનાએ પગપેસારો કરતા આરોગ્ય તંત્રએ સાવચેતી રાખવા સુચના આપી છે. કોરોના વાયરસના હાહાકાર વચ્ચે કાંકરેજ પંથકમાંથી વધુ ત્રણ શંકાસ્પદ કોરોનાના લક્ષણો ધરાવતા લોકોને ધારપુર ખસેડવામાં આવ્યા છે. ગત દિવસોએ વિદેશથી પરત આવેલા ત્રણેયને શંકાસ્પદ કોરોનાના લક્ષણો હોવાથી તાત્કાલિક અસરથી ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના ત્રણ ગામોના ૩ લોકોને શંકાસ્પદ કોરોનાના લક્ષણોને લઇ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કાંકરેજ તાલુકાના રણાવાડા, જામપુર અને કસલપુર ગામના તરણ લોકો ગત દિવસોએ વિદેશથી પરત ફર્યા હતા. આ સાથે દુબઇથી આવેલા યુવકને શરદી અને ઉધરસના લક્ષણો દેખાતાં તાત્કાલિક અસરથી પાટણની ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે