થરાદમાં પાંચ મકાનનાં તાળાં તુટતાં નગરજનોમાં ખળભળાટ

 
 
 
                      થરાદમાં વિજકંપનીની સામેના વિસ્તારમાં શહેરની ગઢવી હોસ્પીટલના તબીબ ડા મહેશ ગઢવી,ડા પીયુષભાઇ એસ.સુથાર,નરહરદાન બાટી (એલ.આઇ.સી,ડી.ઓ),તથા શિક્ષક રાયસંગભાઇ પટેલ,અને શિક્ષક સંજયભાઇ પટેલનાં ચાર મકાનોમાં (પાંચ રહીશો) આવેલાં છે.જેઓ બધા નવરાત્રિ વેકેશનના કારણે પરિવાર સાથે બહાર ગયા હતા.દરમ્યાન શનિવારની રાતે તેમના બંધ મકાનોનો ફાયદો ઉઠાવીને તસ્કરો ત્રાટક્યા હતા.જોકે ચાર પૈકી ડા મહેશભાઇ ગઢવીના મકાનમાંથી ૧૫૦૦ રૂપીયા રોકડ અને રૂમાલ સહિતની કાપડની ચીજવસ્તુઓની ચોરી થવા પામી હતી.જોકે તેમના મકાનમાં કોઇ પણ પ્રકારનું જોખમ નહી રાખવાના કારણે બચાવ થવા પામ્યો હતો.પરંતુ એક સાથે પાંચ મકાનોનાં તાળાં તુટતાં ચકચાર મચવા પામી હતી.પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.