કાલે રવિવારે સરકારી ભરતી માટે લેખિત પરીક્ષા લેવાનાર હોઈ બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર સાબદુ બની ગયું છે. રવિવારે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર સરકારી ભરતી માટે લેખિત પરીક્ષા લેવાનાર છે. ડીવાયએસઓ તેમજ એસઓ અને નાયબ મામલતદારની ભરતી માટે લેવાનાર પરીક્ષા માટેના પ્રશ્નપત્ર ચુસ્ત પોલીસ બન્દોબસ્ત સાથે પાલનપુરના જોરાવર પેલેસ સ્થિત કચરીએ લવાયા હતા. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થતા રાજ્યભરમાં ઉહાપોહ સર્જાયો છે ત્યારે આવતીકાલે લેવાનાર પરીક્ષામાં કોઈ તૃટી ના રહે તે માટે તંત્ર દ્વારા આગોતરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા ગોઠવી દેવાયા છે. બનાસકાંઠાના ૧૦૧ બિલ્ડીંગના ૧૦૭૨ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે. આ પરીક્ષામાં ૨૫૭૧૪ વિધાર્થીઓને બનાસકાંઠાના પરીક્ષા કેન્દ્રો ફાળવાયા છે.