વાવ તાલુકાના રાછેણા ગામની માઈનોર-ર કેનાલમાં અગાઉ ગાબડું પડતા ખેડૂતોએ ‘જાત મહેનત જિંદાબાદ’ કરી જાતે ગાબડું પૂર્યું હતું. પરંતુ ફરી ગાબડું પડતા વ્યાપક નુકશાનથી ખેડૂતોમાં રોષ છવાયો છે.
દસ દિવસ પહેલા ડીસ્ટી બ્યુટરી કેનાલમાં મોટુ ગાબડું પડ્યું હતું. જેથી ખેડૂતોએ જાતે રીપેરીંગ કર્યું હતું. પરંતુ માઈનોર બે વજીર માનાભાઈના ખેતરમાં છલકાઈ ને ધોવરાઈ ગઈ હતી. તેનું પણ પુરાણ કામ ખેડૂતોએ કર્યું હતું. જા કે કેનાલમાં ફરી પાછું દસ ફૂટનું ગાબડું પડ્યું હતું. ખેડૂતોએ જણાવ્યું હતું. કે આ જગ્યાએ ગઈ સાલ ગાબડું પડ્યું હતું પણ કોન્ટ્રાકટરે રીપીરીંગ કર્યું ન હતું. તેથી ખેડૂતો એ પ્લાÂસ્ટકની થેલીઓ માટી ભરીને ગોઠવીને પાણી ચાલુ કર્યું હતું. આ સાલ પાછું પાણી આવતાની સાથે ગાબડું પડ્યું હતું. જેથી નવ એકર જમીનમાં પાણી ફરી વળતા જીરાના પાકને મોટું નુકશાન થયું હતું. જા કે ખેડુતોએ રોષ ઠાલવ્યો હતો કે અમારે ખેતી કરવી કે કેનાલો રીપેરીંગ કરવી ? તેનું નુકશાન અમને કોણ આપશે.