ધાનેરામાં ખાનગી દુકાનમાંથી યુવકની હત્યા કરાયેલી લાશ મળતાં ચકચાર

ધાનેરામાં આવેલ  બાલાજી  મંડપ ડેકોરેશનમાંથી યુવક હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.  ત્યારે પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો છે અને તાપસનો ધમધમાટ શરુ કર્યો છે. 
ધાનેરા નેનાવા ત્રણ રસ્તા પર આવેલા બાલાજી  મંડપ ડેકોરેશનમાં કોઈ યુવકની લાશ પડી છે તેવું લોકોને દેખાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને લોકો દ્વારા ધાનેરા પોલીસને જાણ કરતા ધાનેરા પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. યુવકના ગળામાં  તીક્ષણ હથિયાર મારી હત્યા કરઈ હોવાની ચર્ચાતું જાવા મળ્યું હતું અને પોલીસ દ્વારા તાપસ કરતા યુવકનું નામ પ્રવીણભાઈ શંકરભાઇ પટેલ ઉ વ ૨૫ રહે ધાનેરાવાળો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ દ્વારા મૃતકના પરિવારને બોલાવી પાંચ નમું કર્યું હતું અને મૃતકની લાશને પીએમ અર્થે ધાનેરા ની રેફરલ હોસ્પિટલ માં ખસેડી હતી અને મૃતકના પરિવાર  દ્વારા ધાનેરા પોલીસ મથકમાં જઈ ગુનો દાખલ ધાનેરા પોલીસે આઇપીસી ૩૦૨, ૧૧૪ મુજબ ગુનો નોંઘી તાપસ શરુ કરી હતી અને શંકાસ્પ્દ લોકોના નામ પણ આપવામાં આવ્યા હતાતો બીજી તરફ મૃતકના પરિવાજનોએ પોલીસ સામે રોષ દાખવ્યો હતો. મીડિયા સામે જણાવ્યું હતું કે, પોલીસે હજુ સુધી કોઈજ કાર્યવાહી કરી નથી. અમારો  સમાજ સવારથી ઘરે અને હોસ્પિટલમાં રઝળી રહ્યો છે અને જ્યાં સુધી પોલીસ આરોપીને નહિ પકડે ત્યાં સુધી અમે લોકો લાશને નહિ સ્વીકારી એ અને ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરશું. ધાનેરામાં હત્યા બનાવ બનતા લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મૃતક પરિવાર પણ નાની ઉંમરે પરિવારનો સભ્ય ગુમાવતા દુઃખમાં ડૂબી ગયા છે. અત્યારે પોલીસ હત્યાનો ગુનો કરી તાપસ શરુ કરી છે. ત્યારે આ યુવકની કોને અને કેમ હત્યા કરી તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. આ પ્રવીણ બે વરસ  અગાઉ જય ગોગા  ફાઈનાન્સનું કામ કરતો હતો. જે ફાઈનાસ બેવર્ષથી બંધ કર્યું હતું. તેનું લગ્ન પણ થયેલ નથી. આ બાબતે પી.આઇ.સોલંકીનો સંપર્ક સાધતાં તેઓએ જણાવેલ કે અમને સમાચાર મળતો શકમંદ માણસોને પૂછપરછ માટે લાવી ઘનિષ્ટ પૂછપરછ ચાલુ છે. સી.સી. ટી વી તથા ડોગસ્કોડ લાવીને તપાસ શરું કરી છે. શક્ય હત્યાનો ભેદ ટુંક સમયમાં ઉકલી જશે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.