બનાસકાંઠા જિલ્લામાં ધો.૧૨ સાયન્સના ૫૦૨૩ છાત્રોના ભાવિનો આજે ફેંસલો

પાલનપુર ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલ ધો ૧૨ સાયન્સની પરીક્ષાનુ આજે પરીણામ જાહેર થવાનુ છે. જેમાં જિલ્લાના વિજ્ઞાન પ્રવાહના ૫૦૨૩ છાત્રો કસોટી ની એરણે છે. ત્યારે પરિણામને લઇને અધીરા બનેલા વિદ્યાર્થી અને વાલીઓમાં ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે.
સરહદી બનાસકાંઠા જિલ્લામા ધો.૧૨ ની માર્ચ માસમાં લેવાયેલી પરીક્ષામાં કુલ ૩૨૩૮૯ વિધાર્થીઓ પૈકી ૬ સેન્ટર પર ૨૦  બિલ્ડીંગમાં ૧૪૭ બ્લોકમા ૫૦૨૩ વિધાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનું આજે ગુરૂવારના દિવસે પરીણામ જાહેર થવાનું હોઈ બનાસકાંઠાના વિજ્ઞાન પ્રવાહના છાત્રો અને તેમના વાલીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. 
જોકે પોતાની ઉજ્જવળ કારકિર્દી માટે રાતદિવસ જોયા વગર અથાગ પરિશ્રમ કરનારા વિધ્યાર્થીઓના ભાવિનો આજે ફેંસલો થવાનો છે. ત્યારે છાત્રો સહિત વાલીઓમાં પરિણામને લઈને ઉત્સુકતા વચ્ચે ક્યાંક ઉચાટ કે ચિંતાની લાગણી પણ જોવા મળી રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.