અછતગ્રસ્ત વિસ્તારોમાં ૧૫૦ દિવસની રોજગારી અપાશે ઃ વિજય રૂપાણી

 ગુજરાતમાં ઓછા વરસાદના કારણે અનેક જગ્યાએ પાણીની તંગી સર્જાઈ છે. આ ઉપરાંત પુશઓને ઘાસચારો પણ પુરતા પ્રમાણમાં મળતો ન હોવાની રજૂઆતો આવી હતી. તેને ધ્યાને લઈને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કૌશિક પટેલે મહત્વની જાહેરાત કરી છે.
તેમને કહ્યું છે કે, સમગ્ર ગુજરાતમા ઓછો વરસાદ પડ્યો છે. તેને લઈને અછતગ્રસ્ત વિસ્તારોમાં સરકાર દ્વારા આગોતરા આયોજન કર્યા છે. કચ્છમાં ૨.૩૩ કરોડનું ઘાસ મોકલાયું છે. આ ઉપરાંત અછતગ્રસ્ત તાલુકાઓમાં ૧૫૦ દિવસની રોજગારી આપવાની પણ જાહેરાત કરી છે. અછત મામલે અનેક તાલુકાઓમાંથી રજૂઆત આવ્યા બાદ નિર્ણય લેવાયો હતો. રાજ્યમાં ઓછા વરસાદને લઈને પાણીની તંગી અત્યારથી જ વર્તાઈ રહી છે. ત્યારે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે અછત મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ૫૧ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરાયા છે. ઓછા વરસાદના કારણે જે ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલી વધી છે. ત્યારે ઘાસ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ અછતગ્રસ્ત વિસ્તારોમાં આગામી ડિસેમ્બર માસથી અછતની કામગીરી હાથ ધરવામાં આવશે. સાથે જ તમામ તલાટી મંત્રીઓને પણ અછતના કામ પર લાગી જવા માટે કહેવામાં આવ્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.