પ્રાપ્ત અહેવાલ અનુસાર કાંકરેજ તાલુકાના ખીમણા દિયોદર હાઈવે રોડ ઉપર દિયોદર ડેપોમાંથી સવારે 6.15 કલાકે જઈ રહેલ એસટી બસ. 6478 ને આડે આખલો આવી ગયો હતો અને અકસ્માત સર્જાયો હતો ત્યારે રામશીપુરા પરા વિસ્તારમાં આવેલ હોવાથી વારંવાર અકસ્માત સર્જાય છે ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી અને અબોલ પશુઓ મોત ને ભેટે સે તેમજ અન્ય નાના મોટા વાહન ચાલકો પણ આવા સંજોગોમાં અકસ્માતમાં ઘાયલ થયેલા સે ત્યારે એસટી બસ ને આડે આખલો આવી ગયો હતો અને એસટી બસ ને મોટું નુકસાન થયું હતું અને ડાયવર ને અંદર માર થયો હતો અને આંગળી ઉપર કાચ વાગ્યો હતો તેની સારવાર કરાવી હતી અને શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આમએસટી બસ ના ચાલક શુરેસભાઈ કટારા ને સામાન્ય રીતે ઇજા પહોંચી હતી અને બસ માં કોઈ પેસેન્જરો ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી ઘટના સ્થળે આખલાનું મોત થયુ હતું અને ધર્મપ્રેમી ઓની લાગણી દુભાઈ હતી અને આવા સંજોગોમાં નેશનલ હાઈવે ઓથોરિટી એ સજાગતા દાખવવી જરૂરી છે