'રખેવાળ'ના સર્વેમાં 50 ટકા લોકોએ લોકસભાના ઉમેદવાર તરીકે શંકરભાઈ ચૌધરીના નામની મારી મોહર

 
 
બનાસકાંઠા અને પાટણ લોકસભાની બેઠક માટે ઉમેદવારોની પસંદગી મામલે ભાજપ અને કોંગ્રેસમાં ભારે ગડમથલ ચાલી રહી છે ત્યારે ઉમેદવાર કોણ હશે ? તેને લઈ લોકોમાં ઇંતેજારી છે. આ સંજોગો વચ્ચે 'રખેવાળ'એ લોકસભાના સંભવિત ઉમેદવારોના નામોની ઘોષણા અગાઉ વોટ્સએપ અને ફેસબુક મારફતે સરવે હાથ ધર્યો હતો. આ ઓનલાઇન સર્વેમાં 4115 લોકોએ ભાગ લીધો હતો. જેમાં જીલ્લામાં ભાજપના સૌથી લોકપ્રિય લોકનેતા તરીકે બનાસકાંઠાના લોકોએ શંકરભાઇ ચૌધરીને સૌથી વધુ મત આપ્યા છે. આમ તેઓ મોટાભાગના લોકોની પહેલી પસંદગીના ઉમેદવાર તરીકે સાબિત થયા છે. ઉપરાંત આ સર્વેમાં 2815 (68.3%) લોકોએ ભાજપ અને 1303 (31.7%) લોકોએ કોંગ્રેસ પક્ષને મત આપ્યો છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.