બનાસકાંઠા અને પાટણ લોકસભાની બેઠક માટે ઉમેદવારોની પસંદગી મામલે ભાજપ અને કોંગ્રેસમાં ભારે ગડમથલ ચાલી રહી છે ત્યારે ઉમેદવાર કોણ હશે ? તેને લઈ લોકોમાં ઇંતેજારી છે. આ સંજોગો વચ્ચે 'રખેવાળ'એ લોકસભાના સંભવિત ઉમેદવારોના નામોની ઘોષણા અગાઉ વોટ્સએપ અને ફેસબુક મારફતે સરવે હાથ ધર્યો હતો. આ ઓનલાઇન સર્વેમાં 4115 લોકોએ ભાગ લીધો હતો. જેમાં જીલ્લામાં ભાજપના સૌથી લોકપ્રિય લોકનેતા તરીકે બનાસકાંઠાના લોકોએ શંકરભાઇ ચૌધરીને સૌથી વધુ મત આપ્યા છે. આમ તેઓ મોટાભાગના લોકોની પહેલી પસંદગીના ઉમેદવાર તરીકે સાબિત થયા છે. ઉપરાંત આ સર્વેમાં 2815 (68.3%) લોકોએ ભાજપ અને 1303 (31.7%) લોકોએ કોંગ્રેસ પક્ષને મત આપ્યો છે.