પાંથાવાડાના ભાંડત્રા ગામે ૧ ની હત્યા, બે ઘાયલ

બનાસકાંઠામાં અંગત અદાવતમાં શનિવારે સવારે એક પરિવાર પર અંગત અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક વ્યકિતનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ. જયારે અન્ય બે લોકો ગંભીર રીતે ધાયલ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા છે.
 
પાંથાવાડાના ભાંડત્રા ગામે શનિવારે વહેલી સવારે એક જ પરિવારના ત્રણ લોકો પર તિક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ હુમલો અંગત અદાવતને કારણે કરાયો હતો. જેમાં એક વ્યકિતનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજતા પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. અન્ય બે લોકોને હુમલામાં ગંભીર ઇજાઓ થતા તેમને રેફરલ હોસ્પિટલ પાંથાવાડા ખાતે લઇ જવાયા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે સ્થળ પર જઇ મૃતકની લાશને પી.એમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.