પાલનપુર તાલુકાના સાસમ ગામમાં જુના મકાનની દીવાલ ધરાશાઈ થતા દુર્ઘટના સર્જાઇ હતી.જેમાં દીવાલ ના કાટમાળ નીચે દટાઈ જતા ત્રણ શ્રમિકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.આ બનાવ અંગે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
સાસમ ગામમાં આવેલા પંચવટી વિસ્તારમાં કલ્પેશભાઈ પ્રજાપતિ તેમના જુના મકાન પાસે નવીન મકાન બનાવી રહ્યા છે. જે મકાનનું કામકાજ ચાલુ હતું. તે દરમ્યાન પાસેના જુના મકાનની દીવાલ અચાનક ધરાશયી થતા કામ કરતા ૪ મજૂરો દટાઈ ગયા હતા. જોકે, આ ઘટનાથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જેઓએ દિવાલ ધરાશાઇ થતા કાટમાળ નીચે દટાઈ ગયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ ત્યાં સુધીમાં ગૂંગળાઈ જતા ત્રણ મજૂરોના કરુણ મોત નિપજ્યા હોવાનું પ્રત્યક્ષદર્શી પ્રકાશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.
આ બનાવની જાણ થતાં ગઢ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જેઓએ ઘટના સ્થળનું પંચનામું કરી મૃતદેહોને પોષ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુર તાલુકાના સાસમ ગામમાં જુના મકાનની દીવાલ ધરાશાઈ થતા દુર્ઘટના સર્જાઇ હતી.જેમાં દીવાલ ના કાટમાળ નીચે દટાઈ જતા ત્રણ શ્રમિકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.આ બનાવ અંગે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
સાસમ ગામમાં આવેલા પંચવટી વિસ્તારમાં કલ્પેશભાઈ પ્રજાપતિ તેમના જુના મકાન પાસે નવીન મકાન બનાવી રહ્યા છે. જે મકાનનું કામકાજ ચાલુ હતું. તે દરમ્યાન પાસેના જુના મકાનની દીવાલ અચાનક ધરાશયી થતા કામ કરતા ૪ મજૂરો દટાઈ ગયા હતા. જોકે, આ ઘટનાથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જેઓએ દિવાલ ધરાશાઇ થતા કાટમાળ નીચે દટાઈ ગયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ ત્યાં સુધીમાં ગૂંગળાઈ જતા ત્રણ મજૂરોના કરુણ મોત નિપજ્યા હોવાનું પ્રત્યક્ષદર્શી પ્રકાશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.
આ બનાવની જાણ થતાં ગઢ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જેઓએ ઘટના સ્થળનું પંચનામું કરી મૃતદેહોને પોષ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.