સાવરકુંડલા સ્વામિનારાયણ સંપ્રદાયના સંત પ્રેમસ્વરૂપદાસનું નિધન થતા સંપ્રદાયમાં શોક વ્યાપો
અમરેલી નજીક ગોખરવાળા પાસે બોલેરો પીક અપ બોલેરો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની કાર વચ્ચે અકસ્માત થતા સંત સહિત ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 108 મારફત સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. પરંતુ સારવાર દરમિયાન એક સંતનો દેહવિલય થતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.
પ્રાપ્ત વિગત મુજબ અમરેલીના ગોરખવાળા નજીક માલ સામાન ભરેલો પીકઅપ બોલેરો અને સ્વામિનારાયણ સંપ્રદાયની કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં સવાર સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિરના સંત પ્રેમસ્વરૂપદાસ કોઠારી સહિત ત્રણને ગંભીર ઇજા પહોંચતા તમામને સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન સંત પ્રેમસ્વરૂપદાસ સ્વામીનું નિધન થતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.