વડગામ : ગુજરાત સરકારના નિયામક (પ્રાથમિક શિક્ષણ) ગાંધીનગરની કચેરીએથી તાલુકા શિક્ષણાધિકારી જી.એન. દેશમુખને વડગામ વિસ્તારની જુદી જુદી ર૭ પ્રાથમિક શાળાઓ જેમાં ધોરણ ૬ અને સાત સુધીમાં ગામની મુખ્ય શાળાથી એક કિલોમીટરથી ઓછા અંતરે હોય તેને નજીકની શાળામાં મર્જ કરવા ચકાસણીના આદેશ જારી કરતાં બાવલચુડી ડેલિગેટ પરથીભાઈ ચૌધરી, ચિત્રોડા સરપંચ હેમરાજભાઈ ચૌધરી, તા.કોંગ્રેસ પ્રમુખ દેવુંસિંહ ડાભી એ રજૂઆત કરી હતી. આ અંગે તાલુકા શિક્ષણાધિકારી જી.એન. દેશ મુખની મુલાકાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે વડગામ તાલુકાની ર૭ શાળાઓ બંધ કરવાની નથી. પરંતુ એક કિલોમીટર અંતરે ઓછા અંતરે બીજી શાળા ઉપલબ્ધ છે. તેવી શાળાઓ સરકારના આદેશ મુજબ મર્જ કરવાની થશે.