ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આજે 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે. જેમાં સમગ્ર રાજ્યનું 71.90 ટકા પરિણામ જાહેર થયું છે ત્યારે બનાસકાંઠા જીલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 75.44 ટકા પરિણામ આવ્યું છે. જેમાં પાલનપુર કેન્દ્રનું 78.32 ટકા,ડીસા કેન્દ્રનું 66.36 ટકા, ધાનેરાનું 78.13 ટકા અને થરાદ કેન્દ્રનું 65.53 ટકા પરિણામ જાહેર થયું છે. જીલ્લામાં કુલ 4149 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી 2 વિદ્યાર્થી એ -1 અને 79 વિદ્યાર્થીઓ એ -2 ગ્રેડ મેળવ્યો છે.