વાવ ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળની નવ પ્રકારની વિવિધ માંગોનો રાજ્ય સરકાર દ્વારા કોઇ જવાબ ન મળતાં ગતરોજ વાવ-સૂઇગામ મામલતદાર કચેરીના કર્મચારી મિત્રોએ કચેરીઓ બંધ રાખી સામૂહીક રજાનો કાર્યક્રમ યોજાયો હતો અને નાયબ મામલતદાર, કારકુન, રેવન્યુ તલાટી સહીત કર્મચારીઓ આ કાર્યક્રમમાં જાડાયા હતા અને વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અમારી માંગોને ધ્યાનમાં નહી લેતો તા.૧૧/૦૩/૧૯ થી અચોક્કસની મુદ્દતની હડતાળ પર જઇશું. જા કે, ગતરોજ તા. ૦૮/૦૩/૨૦૧૯ ના રોજ વાવ-સૂઇગામ મામલતદાર કચેરી બંધ રહેતાં ગામડાઓમાંથી આવેલા લોકોને ધરમ ધક્કા ખાવાનો સમય આવ્યો હતો.