ડીસાના અમનપાર્કથી રાજપુર જવાના માર્ગ પર રવિવારે રસ્તા બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા તલવારો ઉછળી હતી.જેમાં પાંચેક વ્યક્તિઓ હસનખાન અશરફખાન ગોસી,નિઝામ ઇકબાલ કુરેશી, શકીલ ઈકબાલભાઈ શેખ,એઝાદ સલીમ કુરેશી અને સાહિલ અશરફખાન ગોશીને ઇજાઓ થતાં સારવાર અર્થે ડીસા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના પગલે પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.જોકે આ ઘટનામાં બન્ને પક્ષે પાંચેક વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી પરંતુ આ લખાય છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ નોધાઈ ન હતી.