મોડાસાના વાંટડા ટોલપ્લાઝા નજીકના જંગલમાં ભયાવહ આગ પ્રસરતાં ભયનો માહોલ

અરવલ્લી જીલ્લામાં આવેલા જંગલ અને ડુંગર પર રહેલી વનરાજીમાં આગ લાગવાના બનાવોમાં ચિંતાજનક વધારો થવાની સાથે રહસ્યમય બની રહ્યા છે એક જ સપ્તાહમાં આગ લાગવાની ઘટના બનતા વનવિભાગ તંત્રની બેદરકારી છતી થઈ છે. મોડાસાના વાંટડા ટોલપ્લાઝા નજીક આવેલા ચામુંડાના ડુંગર તરીકે જાણીતા ડુંગર પર આગ લાગતા વનવિભાગ તંત્રના ૧૦ થી વધુ કર્મચારીઓ આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા તેમ છતાં આગ કાબુમાં ના આવતા નજીકમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
અમદાવાદ-ઉદેપુર ને.હા. નં-૪૮ પર આવેલા વાંટડા ટોલપ્લાઝા નજીક ગુરુવારે બપોરના સુમારે ડુંગર પર આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી ડુંગરના જગલમાં રહેલા સૂકા પાંદડા, ઝાડ અને પવનના લીધે આગ ઝડપથી પ્રસરતા આગનું રૌદ્ર સ્વરૂપથી ગામલોકો દોડી આવ્યા હતા અને આગના લબકારાથી ભયભીત બન્યા હતા. વનવિભાગ કર્મચારીઓ દોડી પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવા પ્રયત્ન હાથ ધર્યા હતા. આગના બનાવને રોકવા માટે વન વિભાગ દ્વારા ફાયર લાઈન તૈયાર કરી આકસ્મિક આગ લાગેતો જંગલ વિસ્તારમાં વધુ પ્રસરતી આગ ફાયર લાઈન સુધીજ સીમિત થઈ જાય તેવા પ્રયાસો કરાતા હોય છે છતાં સમયાંતરે લગતી આગમાં વનરાજી નષ્ટ થઈ જતા પર્યાવરણને પારાવાર નુકશાન ભોગવવું પડે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.