કર્ણાટકમાં મસ્જિદ તોડતા નીકળ્યું મંદિર? ઝડપથી વાયરલ થઈ રહી છે આ તસવીર, સાથે લખ્યો છે આ ખતરનાક મેસેજ

 શું કર્ણાટકમાં મસ્જિદને તોડતા મંદિર નીકળ્યું છે? આ સવાર એટલા માટે કારણ કે એક તસવીર આજકાલ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરને @umagarghi નામના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવી છે, જેની સાથે ઈંગ્લિશમાં એક મેસેજ લખેલો છે, જેનો હિન્દીમાં અર્થ થાય છે કે, 'જ્યારે કર્ણાટકના રાયચુરમાં રોડને પહોળો કરવા માટે એક મસ્જિદને તોડવામાં આવી તો ત્યાં મંદિર મળ્યું. આપણે બધી મસ્જિદો તોડવાની જરૂર છે.'
 
તસવીરમાં ખંડેર દિવાલ પર દેવી પ્રતિમા દેખાઈ રહી છે, જેની સામે સીડીઓ છે અને અમુક લોકો ઊભેલા દેખાઈ રહ્યા છે. દાવો કરાઈ રહ્યો છે કે, રાયચુરમાં રોડને પહોળો કરવા માટે જ્યારે મસ્જિદને તોડવામાં આવી તો તેમાં જૂનું મંદિર નીકળ્યું. આ ટ્વિટને 11 નવેમ્બરના રોજ કરવામાં આવી હતી, જેને ઘણીવાર રીટ્વિટ કરવામાં આવી.
 
આ તસવીરના નીચેના ભાગ પર, ચંદ્રા કલરિસ્ટનો લોગો જોઈ શકાય છે તેના પરથી લાગી રહ્યું છે કે, આ તસવીર કોઈ કલાકારની રચના હોઈ શકે છે. અમને ચંદ્રા કલરિસ્ટ નામનું ફેસબુક એકાઉન્ટ મળ્યું છે, જેણે 8 મે, 2016ના રોજ એ જ તસવીર પોસ્ટ કરી હતી. મંદિરની જગ્યા વિશેની પોતાની પોસ્ટમાં કોમેન્ટમાં પૂછવામાં આવેલા એક સવાલનો કલાકારે જવાબ આપ્યો હતો કે, તેમની આ ડિજિટલ કલાકારી હતી. એટલા માટે, જે તસવીર જેના વિશે દાવો પ્રસારિત કરાઈ રહ્યો છે કે, આ એક મસ્જિદ તોડતા મળેલું મંદિર છે, હકીકતમાં આ કલાકારની ડિજિટલ કલાકારી છે.
 
જ્યારે અમે ગૂગલ પર આ તસવીરનું રિવર્સ સર્ચ કર્યું, તો અમને 12 એપ્રિલ, 2016ના રોજ મેઈકિયાનબાઓએ ખેચેલી એક તસવીર મળી. બની શકે છે કે ચંદ્રાએ તેના પર પોતાની ડિજિટલ રચના બનાવી હોય. બન્ને તસવીરોની સાવધાનીપૂર્વક તપાસ કરવામાં આવે, તો ચંદ્રા દ્વારા બનાવાયેલી ઉપરોક્ત તસવીરને ઘણી વિશેષતાઓ નીચે આપવામાં આવેલી તસવીરમાં પણ જોઈ શકાય છે. ગૂગલ પર આ તસવીર ચીનના હેનાનમાં લુઓયાંગના બૌદ્ધ મંદિરની જણાવાઈ રહી છે, જેથી ડિજિટલ કલાકારી છે, ત્યારે તેની સાથે કરાઈ રહેલો દાવો સંપૂર્ણ રીતે ફેક છે
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.