લોકસભાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થવા આડે ગણતરીના દિવસો બાકી બચ્યા છે. તેમ છતાં ઉમેદવારની પસંદગી મુદ્દે ધમાસાણ મચ્યું છે. જા કે, બનાસકાંઠા બેઠક ઉપર ત્રણના અપવાદને બાદ કરતાં અત્યાર સુધી ખેલાયેલા ૧૮ લોકસભા ચૂંટણી જંગમાં મુખ્ય મુકાબલો પરંપરાગત હરીફ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ થાય છે. મતલબ ત્રીજા પક્ષને અહીં કોઇ અવકાશ જ નથી તેમ છતાં અવનવા કારણોસર ઉમેદવારોનો રાફડો ફાટે છે. છેલ્લી ગત લોકસભા-૨૦૧૪ માં જ ભાજપ-કોંગ્રેસ સિવાય અન્ય ૧૨ ઉમેદવારોએ નસીબ અજમાવ્યું હતું પરંતુ તેમની ડીપોઝીટ પણ 'ડૂર્લ થઇ હતી. ગુજરાતમાં ૧૯૫૧ ની પ્રથમ લોકસભા ચૂંટણી બાદ છેલ્લે ૨૦૧૪ સુધી બનાસકાંઠા બેઠક ઉપર ૧૮ ચૂંટણી જંગ ખેલાયા છે. જેમાં પ્રારંભે કોંગ્રેસ બાદ ૧૯૯૧ થી ભાજપનો દબદબો રહ્યો છે પરંતુ દિલ્હી સલ્તનતના પલટાયેલા સમીકરણોના કારણે વચ્ચે ત્રણ વખત અન્ય ઉમેદવારોની જીત થઇ છે. મતલબ બનાસવાસીઓ ત્રીજા વિકલ્પને પસંદ કરતાં નથી. તેમ છતાં બહુજન સમાજવાદી પાર્ટી, સમાજવાદી પાર્ટી, આમ જનતા પાર્ટી જેવા પ્રાદેશિક પક્ષો રાષ્ટ્રીય ફ્લક ઉપર વિકસવા ઉમેદવારો ઉભા રાખે છે. જ્યારે ટીકીટ ન મળતાં ભાજપ કે કોંગ્રેસના આગેવાનો પણ બળવો કરી અપક્ષમાં દાવેદારી કરે છે તો ચૂંટણીના કાવાદાવાના કારણે મત તોડવા અપક્ષ ઉમેદવાર ઉભા રખાય છે. તેથી ઉમેદવારોનો રાફડો ફાટે છે ત્યારે અન્ય ઉમેદવારોના મતો હાર-જીતમાં નિર્ણાયક પુરવાર થાય છે. છેલ્લી ૨૦૧૪ ની ચૂંટણીની વાત કરીએ તો 'મોદી વેર્વ વચ્ચે ભાજપે હરિભાઇ ચૌધરીને 'રીપીર્ટ કર્યાં હતા. જ્યારે તેમને પછાડવા કોંગ્રેસે પણ જાઇતાભાઇ પટેલ (ચૌધરી) ને ટીકીટ ફાળવી હતી. તેમની સાથે બસપામાંથી મહંત પરસોત્તમગીરીએ, સમાજવાદી પાર્ટીમાંથી આદમભાઇ ચૌધરીએ, આપમાંથી સંજયકુમાર રાવલે જ્યારે અપક્ષમાંથી ભૂપતજી ઠાકોર, બબાજી ઠાકોર, મહેન્દ્રભાઇ બુંબડીયા મળી ૧૨ ઉમેદવારોએ ચૂંટણીના રણ મેદાનમાં ઝંપલાવ્યું હતું. ત્યારબાદ બંને એક જ જ્ઞાતિના ઉમેદવાર હોવાના કારણે ૫૮.૨૯ ટકા મતદાન થયું હતું. જેમાં તીવ્ર 'મોદી વેર્વ ના કારણે ભાજપના હરિભાઇ ચૌધરીનો ૨,૦૨,૩૩૪ મતે વિજય થયો હતો. કોંગ્રેસ ઉમેદવાર બીજા નંબરે રહ્યા હતા. જ્યારે બસપાના ઉમેદવાર મહંત પરસોત્તમગીરી ૧૧,૧૭૫ મત મેળવી ત્રીજા નંબરે રહ્યા હતા પરંતુ ચૂંટણી પંચના માન્ય મતો કરતાં છઠ્ઠા ભાગના મતો પણ ન મળતાં તેમના સહીત અન્ય ૧૨ ઉમેદવારોની ડીપોઝીટ 'ડૂર્લ થઇ હતી. તેમ છતાં આ વખતે પલટાયેલા સમીકરણોના કારણે મહા ગઠબંધનના પગલે પ્રાદેશિક પક્ષો ઉમેદવાર ઉભા રાખે તેમ લાગતુ નથી પરંતુ અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટે તેમ છે. તેથી ભાજપ અને કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરવામાં ઉતાવળ કરતાં નથી.