છત્તીસગઢના અંબિકાપુર શહેરના દરિમાં પોલીસ સ્ટેશન હેઠળ આવતા કુનિયાકલાની 23 વર્ષીય યુવતીનું 8 ઓગસ્ટના રોજ મૈનપાટની મછલી નદીના કિનારે લાશ મળી હતી. યુવતીનું માથું કચડીને હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસની તપાસમાં પ્રેમીએ હત્યા કરી હોવાની વાત સામે આવી છે. પોલીસના વધતા દબાણના કારણે રવિવારે આરોપીએ ઉત્તરપ્રદેશના જ મહારાજગંજમાં સરંડર કરી દીધું છે. આરોપી યુવક નેપાળ ભાગવાની ફિરાકમાં હતો.
એસપીએ રવિવારે કમલેશ્વરપુર પોલીસ સ્ટેશન વિસ્તારનું નિરીક્ષણ કર્યું અને મામલાની ગંભીરતાને જોતા આદેશ આપવામાં આવ્યો. પોલીસની એક ટીમ યુવકને લેવા માટે ઉત્તરપ્રદેશ જશે. ઉલ્લેખનીય છે કે, દરિમા પોલીસ સ્ટેશન હેઠળ ગામ કુનિયાકલા રહેવાસી 23 વર્ષીય ફૂલકુમારી પિતા લાલ સાય તિર્કીની લાખ મેનપાટના મછલી નદી પર બનેલા સ્ટેપડેમના કિનારે મળી હતી. યુવતીનું માથું ખરાબ રીતે પથ્થરથી કચડીને તેની હત્યા કરી દેવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી હતી કે યુવતી 8 ઓગસ્ટના રોજ ઘરેથી હોસ્પિટલ જવાનું બહાનું કાઢીને નીકળી હતી અને ત્યારબાદથી તે ગુમ હતી. પરિવારજનો દ્વારા મામલામાં દરિમા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ દાખલ કરાવી હતી. પૂછપરછમાં યુવતીનું અસગવાં રહેવાસી સુનિલ મિંજ નામના યુવક સાથે બે વર્ષથી પ્રેમ સંબંધ હોવાની વાત સામે આવી હતી.
આ તરફ ઘટના બાદથી જ યુવક પણ ગામમાંથી ફરાર હતો. પોલીસ દ્વારા મામલામાં ગુનો દાખલ કરીને ઘટનાની તપાસ કરી રહી હતી, પરંતુ શંકાસ્પદ યુવક પોલીસને દગો આપીને ફરાર થઈ ગયો હતો. એસપી સદાનંદ કુમારે મામલાની ગંભીરતાને લેતા આરોપીની ધરપકડ કરવાના આદેશ આપ્યા હતા, પરંતુ પોલીસને આરોપીની જાણ થઈ શકી નહોતી. આ મામલાને લઈને આજે એસપી કુમારે મેનપાટ પોલીસ સ્ટેશન વિસ્તારનું નિરીક્ષણ પણ કર્યું હતું.
આ દરમિયાન પોલીસને માહિતી મળી કે યુવક ઉત્તરપ્રદેશના મહારાજગંજમાં છે અને નેપાળ ભાગવાની ફિરાકમાં છે. ત્યારબાદ એસપીના ખાસ પ્રયાસથી ત્યાંની પોલીસે તેને શોધવા માટે દરોડ પાડ્યા તો દબાણમાં આવીને તેણે મહારાજાગંજ પોલીસ વિસ્તારમાં આત્મસમર્પણ કરી દીધું. આરોપીને લેવા માટે એક ટીમ યુપી રવાના થશે.