અમદાવાદ: ગુજરાતના ગોધરા સ્ટેશન નજીક વર્ષ 2002માં સાબરમતી ટ્રેનના કોચ નંબર એસ-6 માં આગ ચાપવા મામલે આજે સાબરમતીની વિશેષ અદાલતે ચુકાદો આપતા બે શખ્સોએ આજીવન કેદની સજા તથા અન્ય ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના ગોધરા સ્ટેશન નજીક કેટલાક શખ્સોએ અમદાવાદ આવી રહેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એસ-6 કોચ પર પથ્થરમારો કર્યા બાદ તેને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં મહિલાઓ, બાળકો અને પુરુષો સહિત 59 લોકો જીવતા ભૂંજાઇ જતા મોતને ભેટ્યા હતા. આ લોકો અયોધ્યાથી આવી રહેલા કારસેવકો હતા. આ ઘટનાના પડઘા ગુજરાતભરમાં પડ્યા હતા અને કોમી રખમાણો ફાટી નિકળ્યા હતા.
આજે સાબરમતીની વિશેષ અદાલતે ગોધરા સ્ટેશન નજીક સાબરમતી ટ્રેનના એસ-6 કોચમાં આગ ચાપવા મામલે સુનાવણી કરતા ચુકાદો આપ્યો હતો. જેમાં ફારુખ અને ઇમરાન નામના બે શખ્સોએ આજીવન કેદની સજા ફટકાવવામાં આવી છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.