પાલનપુર : ધાનેરાના જડીયા ગામના વધાભાઈ ને અચાનક હાર્ટ-અટેક આવતા આઈ.સી.યુમાં દાખલ થયા હતા. જ્યાં ઇલાજનો ખર્ચ એમની આર્થિક પરિસ્થિતિને પહોંચી વળાય તેવો ન હતો. ત્યારે આ અંગે સદભાવના ગ્રુપ ના ચેરમેન હરેશભાઇ ચૌધરીને જાણ થતા તેઓ તેમની વ્હારે ચડ્યા હતા. જેઓએ થોડી સુજબુજ દાખવતા વડીલનો જીવ અને ૩ લાખ બંને બચ્યા હતા. દર્દીને તાત્કાલિક માં-કાર્ડ આઈ.સી.યુ માં ઉપલબ્ધ કરાવતા નિઃશુલ્ક ઈલાજ થતાં કુદરતના આશીર્વાદ અને ગુજરાત સરકારના સહયોગથી દર્દીનો જીવ બચી ગયો હતો.