વરસાદ ખેંચાતાં લાખણી તાલુકાના ખેડૂતો ચિંચીત
બનાસકાંઠામા વરસાદ ખેંચાતા હાલ ખેડુતો ચિંતીત છે ત્યાંરે રાજય સરકાર દ્રારા ખેડૂતોને ૧૦ કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે પરન્તુ ખેડુતો આ જાહેરાતથી ખુશ નથી અને સામેથી બોઝ વધ્યો હોવાનુ ખેડુતો માની રહયા છે. અમે લાખણી તાલુકાના ખેડુતો સાથે વાતચીત કરતાં ખેડૂતોએ લાઈટ વધારાની. બાબતથી નુકશાન થતુ હોવાનું જણાવ્યું હતુ. લાઈટ નો સમય બે કલાક વધતા લોકો મોટર વધું ચલાવશે જેનાં કારણે પાણી નાં તળ ઊંડા જશે અને ખેડૂત ને કોલમ મુકવી પડશે માટે ઓછામાં ઓછું ૫ હજાર નો ખર્ચ વધી જશે અને પાણી નાં તળ ઊંડા જશે સાથે તેની જગ્યાએ સરકારે ચાર માસનું વિજબિલ માફ કરે અને ખેતીની લાન નું વ્યાજ માફ કરે તેમજ પશુ ધન બચાવવા ઘાસચારા મા રાહત આપે તેવી માંગ સરકાર સમક્ષ કરી રહયા છે.અમારાં સંવાદદાંતા ગેળા ગામનાં ખેડુતો સાથે વાતચીત
કરી હતી.
બનાસકાંઠામા હાલ ચોમાસામા મગફળી, ગવાર, એરડા, કપાસનું વાવેતર કરાયું છે જે પાક હાલ પાણીનાં લીધે મુંઝાઈ રહ્યુ છે. પ્રથમ વાવણી લાયક વરસાદ થતા ખેડુતો એ મોંઘા ભાવ નાં બિયારણ અને દવા તમેજ ખાતર નો ખર્ચ કરી દીધેલ પરન્તુ હાલ વરસાદ ખેંચાતા પાક બળી રહ્યો છે અને ખેડૂત ને મોટુ નુકશાન વેંઠવાનો વારો આવી સકે તેમ છે.