સાંતલપુર તાલુકાના ઝઝામમાં રાત્રીસભા યોજાઈ
રાધનપુર
સાંતલપુર તાલુકાના ઝઝામ ગામે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં પ્રાથમિક શાળાના ભુલકાંઓએ રેલી યોજીને સમગ્ર ગામમાં ફરીને સ્વચ્છતા અંગેનો સંદેશો ગ્રામજનો સુધી પહોંચાડ્યો હતો,અને ગામને સ્વચ્છ બનાવવા અપીલ કરી હતી. આ ઉપરાંત રાત્રી ગ્રામસભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અણદુભા જાડેજા, નાયબ તાલુકા વિકાસ અધિકારી મયુરભાઈ, સરપંચ ભગવાન સિંહ વાઘેલા, શાળાના આચાર્ય પરખાભાઇ, કરશનજી જાડેજા, તલાટી મહાવીરસિંહ તેમજ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.