રખેવાળ ન્યુઝ, ભીલડીડીસા તાલુકામાં કમોસમી વરસાદે ખેડૂતોને ખેતીના પાકોમાં ખૂબ જ નુકશાન થયું હતું. તેવામાં ખેડૂતોએ પાક વીમાના સર્વે કરી યોગ્ય વળતર માટે અરજી કરી હતી. પરંતુ ઘણા દિવસો વીતી જવાથી ખેડૂતોએ પોતાના ખેતરમાં નવી સિઝનની વાવની માટે જમીન ખેડ કરી તૈયાર કરી દીધી હતી.
જેમાં પાક વીમા કંપની દ્વારા સર્વે મોડા કરાતા ખેડૂતોએ પોતાની રવી સીઝન માટે ખેતરમાં વાવેતરના શ્રી ગણેશ કરી દીધા હતા. જેથી પાક વીમા કંપનીવાળાએ ખેડૂતોએ પોતાના ખેતરમાં પાડેલા ફોટા માન્ય ના ગણાતા ખેડૂતો ફરીથી મૂંઝવણમાં મુકાયા છે. જેથી સરકાર દ્વારા વીમા કંપનીને નુકસાનના વળતર માટે યોગ્ય નિર્ણય લે તેવી ખેડૂતોની માંગ છે.