દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા શીલા દીક્ષિતનું 82 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. એસ્કોર્ટ હોસ્પિટલમાં શીલા દીક્ષિત અંતિમ શ્વાસ લીધા. તેઓ 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા.
શીલા દીક્ષિતનો જન્મ 31 માર્ચ 1938માં પંજાબના કપૂરથલામાં થયો હતો. તેઓ દિલ્હીના ત્રણ વાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 2014માં તેમને કેરળના રાજ્યપાલ પણ બનાવવામાં આવ્યા હતા. જોકે તેમણે 25 ઓગસ્ટ 2014ના રોજ રાજીનામું આપી દીધું હતું. તેમણે આ વર્ષે ઉત્તર-પૂર્વ દિલ્હીથી પણ ચૂંટણી લડી હતી. જોકે તેઓ મનોજ તિવારી સામે હારી ગયા હતા. શીલા દીક્ષિત 1984થી 1989 સુધી કન્નોજ લોકસભા સીટના સાંસદ રહ્યા હતા. 1986-1989 સુધી તેઓ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. શીલા 1998થી 2013 સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા.
શીલા દીક્ષિત પહેલીવાર 1984માં કન્નૌજ સીટથી ચૂંટણી લડી હતી. અહીં તેમણે સપાના છોટે સિંહ યાદવને હરાવ્યા હતા. 1984થી 1989 સુધી સાંસદ રહેવા દરમિયાન તેઓ યુનઈટેડ નેશન્સ કમીશન ઓન સ્ટેટસ ઓફ વીમેનમાં ભારતના પ્રતિનિધિ રહી ચૂક્યા છે. ત્યારપછી 1998માં તેઓ નવી દિલ્હીના મુખ્યમંત્રી બન્યા અને 2013 સુધી આ પદ પર રહ્યા.